હળવદમાં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામશે

હળવદમાં શુભ ચોઘડિયામાં ઉમા કન્યા છાત્રાલય ખાતે કડવા પાટીદાર સમાજના કુળદેવી જગત જનની માં ઉમિયાજીના મંદિરનું ભૂમિપૂજન છાત્રાલયમાં અભ્યાસ કરતી બાળાઓના શુભ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી પાટીદાર સમાજના અગ્રણીઓ,વડીલો અને યુવાનોની હાજરીમાં કરવામાં આવ્યું.

કહેવત છે ને કે આદર્યા અધૂરા ન રહે,એમાંય વળી પાટીદાર સમાજના કુળદેવી માં ઉમિયાના મંદિરનું નિર્માણ થતું હોય તેની પ્રેરણા લઈને મૂળ નવા દેવળીયા વતની અને હાલ અડાલજ ગાંધીનગર ખાતે રહેતા સવજીભાઈ વિડજાએ પોતાના રળેલા રૂપિયા,પરસેવાની કમાણીમાંથી 5,11.000/- પાંચ લાખ અગિયાર હજાર જેવી માતબર ધનરાશી અર્પણ કરી હતી. સવજીભાઈ વિડજાની આ દાનવીરતાને ઉપસ્થિત સૌ કોઈએ વધાવી લીધી હતી.