વાંકાનેર: આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ

પંજાબ રાજ્યમાં જીત ની ખુશીમાં મોરબી જિલ્લા પ્રભારી શીવાજીભાઈ ડાંગર તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા ના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટી વાંકાનેર ટીમ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મોરબી જિલ્લા મંત્રી ચેતનભાઈ લોરીયા,મોરબી જીલ્લા મંત્રી સરસાવડીયા જયદીપભાઈ , મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા,મોરબી તાલુકા યુવા પ્રમુખ સદાતીયા રમેશભાઈ તથા મોરબી તાલુકા આઇ.ટી. ઈન્ચાર્જ લલિતભાઈ જોડાયા હતા,આ તીરંગા યાત્રા ને સફળ બનાવા મોરબી જિલ્લા ઉપપ્રમુખ તોફીકભાઈ અમરેલીયા, મોરબી જિલ્લા સંગઠન મંત્રી અર્જુનસિંહ વાળા, વાંકાનેર તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદી, વાંકાનેર તાલુકા યુવા પ્રમુખ મુન્નાભાઈ મીર, વાંકાનેર તાલુકા એસ.સી.એસ.ટી પ્રમુખ દિલીપભાઈ ચાવડા, વાંકાનેર તાલુકા સોસીયલ મીડિયા પ્રમુખ હરવિજયસીહ, એક્સ આર્મી મેન નવરભાઈ તમામ લોકો એ ભારે જહેમત ઉઠાવી હતી.તથા વાંકાનેર તાલુકા તથા શહેર ના  બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.