મોરબીના મોડપર ગામે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો

મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષ પણ શનિવારે હનુમાન જયંતીના દિવસે યજ્ઞનું આયોજન કરાયું હતું આ વર્ષે યજ્ઞમાં યજમાન પદે મૂળ વનાળિયા હાલમાં મુંબઈ રહેતા હિતેષભાઇ અને તેનો પરિવાર હતો અને યજ્ઞમાં આહુતિ આપી હતી

ત્યારે મોરબીની આસપાસના વિસ્તારમાં રહેતા તમામ ભટ્ટ પરીવારના લોકો હાજર રહ્યા હતા આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે બળવંતભાઈ એલ. ભટ્ટ, જે.પી. ભટ્ટ, દિનેશભાઇ ભટ્ટ, પ્રવીણભાઈ ભટ્ટ, કપિલભાઈ ભટ્ટ, હસમુખભાઇ ભટ્ટ, દીપકભાઈ ભટ્ટ, અનુભાઇ ભટ્ટ, કનુભાઈ ભટ્ટ, રમેશભાઈ ભટ્ટ, સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી