મોરબીમાં ડો. બી.આર. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

ઇચ્છુક વિદ્યાર્થીઓ ૧૫ જુલાઇ સુધી https://esamajkalyan.gujarat.gov.in પર અરજી કરી શકશે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવેલ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા સરકારી કુમાર છાત્રાલયમાં વિનામુલ્યે પ્રવેશ મેળવવા માટે વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં અનુસૂચિત જાતિના મેડીકલએન્‍જીયરીંગફાર્મસીડિગ્રી, ડિપ્લોમાઆર્ટ્સ અને કોમર્સના સ્નાતકઅનુસ્નાતકમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પુરતી તક આપવાના હેતુ માટે નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્રારા સરકારી છાત્રાલયોની સવલત આપવામાં આવે છે.

છાત્રાલયોની યાદી https://esamajkalyan.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આ સરકારી છાત્રાલયોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૦૨૪ માટે પ્રવેશ મેળવવા ઇચ્છુક અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ પાસેથી તા.૧૫/૦૭/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવે છે. https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.  

પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ માત્ર ઓનલાઈન સબમીટ કરવાના રહેશે.  જેની આવક મર્યાદા રૂ. ૬.૦૦ લાખ રહેશે. વધુ માહિતી માટે મોરબીના મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (હોસ્ટેલ), ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, શોભેશ્વર રોડ, મોરબી અથવા નાયબ નિયામકઅનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જિલ્લા સેવા સદન રૂમનં.૪૬/૪૭સો ઓરડીમોરબી ખાતે ફોન નં.૦૨૮૨૨-૨૪૨૨૨૪ પર સંપર્ક કરવા અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક ડી. એમ. સાવરીયાની યાદીમાં જણાવાયું છે.