મોરબી શહેરમાં સોમવારથી એકાંતરે એક વખત પાણીનું વિતરણ કરાશે

મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા કેનાલ આધારિત રહેવાની હોવાથી સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે પાણીનું વિતરણ કરાશે, મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી તથા પાણીનો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણીનો ઉપયોગ કરવો

સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય તા.૨૦-૦૫-૨૦૨૪ ને સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા તરફથી પાણી આપવામાં આવશે.

જેથી પાણી નો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણી ઉપયોગ કરવા શહેરીજનો ને વિનંતી કરવામાં આવે છે તા.૨૦-૦૫-૨૦૨૪ ને સોમવારથી એકાંતરે એક વખત પાણી આપવામાં આવશે જેની શહેરી જનોને નોંધ લેવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.