મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા કેનાલ આધારિત રહેવાની હોવાથી સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે પાણીનું વિતરણ કરાશે, મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી તથા પાણીનો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણીનો ઉપયોગ કરવો
સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ દરવાજાના સમાર કામ માટે ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય તા.૨૦-૦૫-૨૦૨૪ ને સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા તરફથી પાણી આપવામાં આવશે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2024/04/july-2022-1024x591.jpg)
જેથી પાણી નો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણી ઉપયોગ કરવા શહેરીજનો ને વિનંતી કરવામાં આવે છે તા.૨૦-૦૫-૨૦૨૪ ને સોમવારથી એકાંતરે એક વખત પાણી આપવામાં આવશે જેની શહેરી જનોને નોંધ લેવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ડી.વી. ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.
![](https://sakshamsamachar.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-03-at-5.28.49-PM.jpeg)