મોરબીના સંગીતાબેન ભાટિયાની સ્મૃતિમાં યોજેલ કેમ્પમાં 81 દાતાઓએ રક્તદાન કર્યું

મોરબી અહીંના લોકો સતત કંઈક ને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોરબીમાં કથા હોય,કોઈનો જન્મ દિવસ હોય, કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય ત્યારે રક્તદાન કરતા હોય છે ત્યારે સ્વ.સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ નું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક મોરબી ખાતે કરવામાં આવેલ હતું,

આ રક્તદાન કેમ્પમાં રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા 81 જેટલા સગા,વ્હાલા, સંબંધીઓ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા કુંડારિયા અને ભાટીયા પરિવાર તેમજ નવનીતભાઈ કુંડારિયા સહિતના પરિવારજનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.