લાલપર PHC તેમજ આદર્શ નિવાસી શાળાના બાળકોએ રફાળેશ્વર ખાતે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરી

21 જૂન 2024ના પ્રા. આ. કે. લાલપર તેમજ શ્રી આદર્શ નિવાસી પ્રા. શાળા ખાતે “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરવામાં આવી જેમાં પ્રા.આ.કેન્દ્ર લાલપર ના સુપરવાઈઝર તેમજ યોગ માસ્ટર દિપક વ્યાસ, દિલીપભાઈ દલસાણીયા, મકસુદભાઈ સૈયદ, દ્વારા લાલપર ગામ ના લોકો તેમજ આદર્શ નિવાસી શાળા રફાલેશ્વર ના તમામ બાળકોને યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા હતા તેમજ યોગ થી થતા વિવિધ ફાયદાઓ વિશે વિસ્તૃત સમજણ લાલપર ગામ ના લોકો તેમજ શાળા ના બાળકોને આપવા માં આવી હતી.

જેમાં આદર્શ નિવાસી શાળા ખાતે મોરબી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા) એલ. વી. લાવડિયાએ ખાસ ઉપસ્થિતિ આપી હતી તેમજ શાળા ના આચાર્ય પી.જી. ઉકાણી તથા શાળા ના તમામ સ્ટાફ દ્વારા બાળકો સાથે યોગ કરીને વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી.