આજે રાત્રે : મોરબીમાં તોરણીયાનુ રામામંડળ રમાશે

તા.૦૨/૦૨/૨૦૨૫ ને રવિવારે રાત્રે ૮:૦૦ કલાકે સિદ્ધિવિનાયક પેલેસ, સરદાર નગર 2 સોસાયટી, રાધે ક્રિષ્ના વિદ્યાલય સામે, પટેલ કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે રતિલાલ પ્રાગજીભાઈ દેત્રોજા તથા હિરેનભાઈ અને કિશનભાઇ દેત્રોજા (માણેકવાડા) દ્વારા તોરણીયા ના પ્રખ્યાત રામામંડળ નું આયોજન કરેલ છે.

જેમાં કલાકારો મિલન કાકડીયા, ભુટાભાઈ ભરવાડ, સાગરભાઇ ભરવાડ તેમજ કોમેડી કિંગ ભોળાભાઈ (ગગુડીયો) સહિતના કલાકારો રામદેવપીરજી મહારાજનું જીવન ચરિત્ર રજૂ કરશે. રતિ લાલભાઈ પ્રાગજીભાઈ દેત્રોજા અને તેમના પરિવાર દ્વારા મોરબીની જાહેર જનતાને આ પ્રખ્યાત રામા મંડળ નિહાળવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.