નવયુગ લો કોલેજ ખાતે ફોજદારી કાયદા અંગે પોલીસ અધિકારીઓ તથા વિદ્યાર્થીઓ માટે તાલીમ સેમિનાર યોજાયો

આગામી સમયમાં અમલમાં આવનારા નવા ફોજદારી કાયદા જેવા કે, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ અંગે તા.28-06-2024 ના રોજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજ-મોરબી મુકામે તાલીમી સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારીઓ, DySP ઝાલા , DySP સારડા , PI ઓ, PSI ઓ, ASI ઓ તથા અન્ય પોલીસ કર્મીઓ તેમજ નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહેલા હતા.

આ પ્રસંગે તાલીમી સેમિનારના મુખ્ય સ્વપ્ન દ્રષ્ટા નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ ડો.સંઘવી, ડો.જયવીર પંડયા અને ડો.પરેશ ડોબરીયા સાંપ્રત સમયની જરૂરીયાત અને સરકારના અભિગમથી નવા ફોજદારી કાયદામાં આવનાર ફેરફાર અંગે સેકશન વાઈઝ દરેક કાયદાની વિસ્તૃત છણાવટ સાથે સમજણ આપેલી હતી. “આત્મ નિર્ભર ભારત’ના અભિગમ મારફત થનાર ફાયદા તેમજ ન્યાયક્ષેત્રે આવના૨ ડીજીટેલાઈઝેશન, ઝડપી ન્યાય અને સાર્વભૌમત્વની સુરક્ષા અંગે રસપ્રદ સમજણ આ તાલીમ સેમિનારમાં આપેલ હતી.