હળવદના દીધડીયા ગામે દીવાલ પડતા ત્રણના મોત

હળવદના દીધડીયા ગામે દીવાલ પડતા બે સગાભાઈ સહિત ભત્રીજાનું કરૂણ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ હળવદના દીધડીયા ગામે કાંજીયા પરિવાર દ્વારા માતાજીના માંડવા આજે સાંજે આયોજન હતું. અને સવારે હકાભાઈ કમાભાઈ કાંજીયાની દિકરા-દિકરીના આવીતકાલે લગ્ન લખવાના હતા. જેથી ખાલી પ્લોટમાં સાફ સફાઇ કરી રહ્યા હતા. તે વેળાએ દિવાલ પડતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં હકાભાઈ કમાભાઈ કાંજીયા અને વિપુલભાઈ કમાભાઈ કાંજીયા, અને ભત્રીજો મહેશભાઈ પેમાભાઈનું મોત નિપજ્યું હતું. ત્રણેય મૃતદેહને પી.એમ અર્થે હાલ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક જ પરિવારના ત્રણ સભ્યના મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.