મોરબી : મહેન્દ્રનગરના માજી સરપંચની પુણ્યતિથિ નિમિતે સત્સંગ સંધ્યા તથા રક્તદાન કેમ્પ યોજાશે

માજી સરપંચશ્રી, મહેન્દ્રનગર ના વરિષ્ઠ આગેવાન તેમજ સેવાકીય કાર્યોમાં પોતાનું સંપૂર્ણ જીવન કાર્યો કરી ને પ્રજા ના હૃદય માં સ્થાન મેળવનાર હૃદય સમ્રાટ સ્વર્ગસ્થ અશ્વિનભાઈ બોપલિયા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બોપલિયા પરિવાર તેમજ મહેન્દ્રનગર ના યુવાનો દ્વારા સત્સંગ સંધ્યા નું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં મહામંડલેશ્વર પ. પૂ. માઁ. શ્રી કનકેશ્વરી દેવીજી તથા સંતો ની હાજરી માં લોકપ્રિય ભજનિક શ્રી શૈલેષ મહારાજ, શ્રી વિવેક સંચલા તેમજ યુવા સાહિત્યકાર શ્રી રવીન્દ્ર સોલંકી શ્રદ્ધાસુમન અર્પણ કરશે.
સાથો સાથ બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બ્લડ ડોનેશન કેમ્પ
તા.03.05.2022
સવારે 8:30 કલાક થી
સંપર્ક સૂત્ર : 93782 11111 (રાજેશભાઈ ગોધવીયા)

સત્સંગ તથા સંતવાણી
તા. 03.05.2022
રાતે 8 :00 કલાકે

ઉપરોક્ત બંને કાર્યક્રમ CNG પંપ ગ્રાઉન્ડ, મહેન્દ્રનગર ચોકડી, મહેન્દ્રનગર મુકામે રાખેલ છે.
સ્મરણાંજલિ અર્પી શ્રદ્ધાસુમન અર્પણ કરવાના આ કાર્યક્રમમાં મહેન્દ્રનગર, પીપળી, તેમજ આસપાસ ના તમામ નાગરિકો ને જાહેર આમંત્રણ છે. આપ સૌ અચૂક લાભ લેશો.